મોઢેરા ખાતે ગાયત્રી માતાની ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
ઐતિહાસિક નગરી મોઢેરા ખાતે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા નિર્મિત ગાયત્રી સંસ્કાર કેન્દ્ર નું શરદૂર્ણિમાની દિવસે શુભ ઉદઘાટન થયું હતું. આ સંસ્કાર કેન્દ્ર માં ગાયત્રી માતા નું ભવ્ય મંદિર પણ બનાવવામાં આવ્યું હતું. સવારે ૮ કલાકે માતાજી ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને સવારે ૧૦ કલાકે પેંચકુંડી યજ્ઞ નો પ્રારંભ થયો હતો. આ યજ્ઞ ના આચાર્ય પદે શ્રી દિનેશભાઈ વ્યાસ હતા .આ પ્રતિષ્ઠા મહોત્સવ માં મોઢેરા સહિત વિજપૂર્ડા , ગણેશપુરા ,ચાણસ્મા ,બેચરજી ,ગાંભુ ,કનોડા ,આદિવડા ,વેણપુરા ,મેહસાણા ના ગાયત્રી પરિવાર ના સભ્યો હાજર રહ્યા હતા. પ.પુ . જયશંકર પુરોહિત સાહેબ નું સપનું પૂરું થયું હતું. બ્યુરો ચીફ નરોત્તમ રાઠોડ