હારીજ જલિયાણ ગ્રુપ દ્વારા નવીન એમ્બ્યુલન્સ વાન તેમ જ અંતિમ યાત્રા રથનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
હારીજ જલિયાણ ગ્રુપ પરિવાર દ્વારા નવીન એમ્બ્યુલન્સ વાન તેમજ અંતિમયાત્રા રથ નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જલિયાણ ગ્રુપ પરિવાર દ્વારા ભારત વિકાસ પરિષદનેએમ્બ્યુલન્સવાન તેમજ અંતિમયાત્રા રથનું લોકાર્પણ હારીજ શહેરના ઉદ્યોગપતિ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર ઠક્કર લલીતાબેન ફરશુરામ ડાયાલાલ ઠક્કર જલિયાણ ગ્રુપ દ્વારા શહેરને 48 લાખ રૂપિયાની બે નવીન અંતિમયાત્રા રથ તેમજ એમ્બ્યુલન્સવાન ની શહેરને ભેટ આપી . ભારત વિકાસ પરિષદે 50 વર્ષ પૂર્ણથતાં રજત જયંતિ ઉજવે છે શહેરમાં ભારત વિકાસ પરિષદ શહેરમાં 33 વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃતિ કરીને અગ્રેસર રહી છે ત્યારે જલિયાણ ગ્રુપ પરિવાર દ્વારા ભારત વિકાસ પરિષદને એમ્બ્યુલન્સવાન અંતિમયાત્રા રથ સંચાલિત માટે આજે લોકાર્પણ કાર્યક્રમ જલિયાણ સ્કૂલ વાઘેલ રોડ ઉપર યોજવામાં આવ્યો હતો આમંત્રિત મહેમાનો ગોતરકા કાશી વિશ્વનાથ મહાદેવના મહંત બ્રહ્મચારી શ્રી નિજાનંદ બાપુ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ વીરાજી ઠાકોર નવીન નિમણૂક પાટણ જિલ્લા પોલીસવડા વી કે નાઈ તાલુકા હેલ્થ ઓફિસર તેમજ ભારત વિકાસ પરિષદના સતીશ ભાઈ ઠક્કર શહેરના હોદ્દેદારો તેમજ કાર્યકરો તેમજ જલિયાણ ગ્રુપના આમંત્રિત મહેમાનો વડીલો સગા સંબંધી મિત્રો મોટી સંખ્યામાં હાજરી આપી તેમજ કાર્યક્રમ પૂર્ણ બાદ આમંત્રિત મહેમાનો તેમજ વડીલો સગા સંબંધી મિત્રોએ ભોજનનો લાભ લીધો હતો